સ્વાગતનોંધ

સ્વાગત અને શુભેચ્છા...

 

– સિતાંશુ યશશ્ચન્દ્ર

 

 

સિતાંશુ યશશ્ચન્દ્ર
સિતાંશુ યશશ્ચન્દ્ર

ગુજરાતના ‘કવિતા શિક્ષક’ ગણાયેલા સમર્થ કવિ-ચિંતક બળવંતરાય ઠાકોરે પોતાના સમયના યુવા કવિઓ પાસે બે અપેક્ષાઓ રાખી હતી. આજે પણ આજના યુવા સર્જકોને પોતાની ક્ષમતાઓની સિધ્ધિ માટે એ બન્ને ઉપયોગી, બલ્કે ઉત્તેજક બની શકે. બ.ક.ઠા. કવિ પાસે માગણી કરે છેઃ ‘બધા સૂર ખિલાવજે મનુજ-ચિત્ત-સારંગીના’ અને ‘બધાં ફલક માપજે મનુજ-શક્તિ-સીડી તણાં.’

 

પહેલી પંક્તિમાં આપણા આંતર જીવવની અને બીજીમાં આપણા બાહ્ય જીવનની બધી ક્ષમતાઓને ખિલવવાની જીકર એ સમર્થ કવિ-ચિંતક કરે છે. લાગણી, બુધ્ધિ અને કર્મઠતા – એ ત્રણેને તાકે એ ‘ઊંચાં નિશાન’ તાકતી કવિતા, બલ્કે એક સમર્થ પ્રજાનું સાહિત્ય.

 

‘પરિષદ પ્રજાની’ એ ભાવનાને આપણે દૃઢ કરતા રહીએ. કઈ રીતે? નાનાં મોટાં ટોળાં પાસે કાચી પાકી રચનાઓ માટે તાળીઓ પડાવીને નહીં. પણ પ્રજાની ‘ચિત્ત-સારંગીના સૂર’ અને ‘શક્તિ-સીડી તણાં ફલક’ (આંબે મીઠી અને રસાળ કેરી પાકે એમ આસ્તે આસ્તે) જ્યાં ખીલતા જાય,  એવી જગ્યા પરિષદમાં ખુલ્લી કરીને.

સ્વાગત અને શુભેચ્છા.

 

‘વિષાણુ’ સામે ‘વીજાણુ’-ની આ લડતમાં બને તેટલી વધારે છાપામાર લડતો લડવી છે, સતત. આપ સહુ જોડાઓ. ગ્લોબલ ગુજરાત આમાં સત્વર સામેલ થાય, એ ઈજન. ગુજરાતભરનાં, બલ્કે ભારતભરનાં ભાવકો-સર્જકોનું આ સ્વગૃહ છે. યુવા ગુજરાતી લેખકો, વિશ્વભરમાંથી, પોતાની નવી, મૌલિક કૃતિઓ (દરેક યુવા લેખક કુલ સાત પાનાંની મર્યાદામાં) યુનિકોડ ગુજરાતી ફોન્ટમાં ટાઈપ કરી આ ઈમેઇલ સરનામે મોકલેઃ

સિતાંશુ યશશ્ચન્દ્ર : [email protected].

સેજલ શાહ : [email protected]

સમીર ભટ્ટ : [email protected]

સહાયક ટીમનો આભાર: 

સેજલ શાહ

સમીર ભટ્ટ

વસંત જોશી

પીયૂષ ઠક્કર

રૂપલ મહેતા

અનુક્રમ: 

નોળવેલની મહેકઃ ૧૫ ઓક્ટોબર ૨૦૨૦

સ્વાગત અને શુભેચ્છા... – સિતાંશુ યશશ્ચન્દ્ર ગુજરાતના ‘કવિતા શિક્ષક’ ગણાયેલા સમર્થ કવિ-ચિંતક બળવંતરાય ઠાકોરે પોતાના સમયના યુવા કવિઓ પાસે બે ...
યુવાસ્વર: અનુક્રમ  યુવા-સર્જન: કવિતા પ્રકાર કૃતિ સર્જક સંપર્ક કવિતા  1.પાંચ હાઇકુ :  કાળી બિલાડી ગુરુદેવ પ્રજાપતિ 'ફોરમ' [email protected] 2. શ્વાસની ...
મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો - જ્યોતિ ભટ્ટ પ્રસંગ ૧૩ મારા બચપણથી જ મિત્ર બની ગયેલ સ્વર્ગસ્થ કિશોર પારેખ¹ (1930-1982) ભારતના એક ...
ן સંસ્કૃત – સુભાષિત – સ્યન્દિકા  ן હેમન્તે અધરવ્રણે ન આવે રૂઝ! -વિજય પંડ્યા ભદ્રં તે સદેશં યદધ્વગશતૈ: કીર્તિસ્તવોદ્દગીયતે સ્થાને ...
સંભારણાં (૧૦)... Shakespeare’s King Lear: એક બુધવારની સાંજ, ભગતસાહેબ (નિરંજન ભગત) સાથે - જૂન, ૨૦૧૭. - રૂપલ મહેતા, અમદાવાદ. Shakespeare’s ...
નોળવેલની મહેક વિષે અભિપ્રાય:  'નોળવેલની મહેક' વિષે ગુજરાતી સાહિત્ય પરિષદે કોરોનાના કપરા કાળ વચ્ચેના લૉક ડાઉનના સમયમાં પરિષદની વેબસાઇટમાં ‘નોળવેલની ...

 

સાભાર: સંદર્ભ-ફોટાનો ઉપયોગ અવતરણ મર્યાદિત. કોપીરાઈટ યથાતથ.