સંસ્કૃત-સુભાષિત-સ્યન્દિકા

ן સંસ્કૃત સુભાષિત સ્યન્દિકા  ן

 

સીત્કાર શિખવતા પ્રોફેસર શિશિરકુમાર

 

-વિજય પંડ્યા

 

 

 

સીત્કારં શિક્ષયતિ, વ્રણતિ અધરં, તનોતિ રોમાગ્યમ્
નગરિક: કિં મિલિતો નહિ નહિ, સખિ, હૈમનઃ પવનઃ ||

(શાર્ડગધરપદ્ધતિ પરક, ધર્મદાસના નામે, પાઠ સુભાષિત-રત્નભાણ્ડાગાર, નિર્ણય સાગર પ્રેસ, મુંબઈનો સ્વીકાર્યો છે.)

 

રસ્તામાં મળી જતાં એક સખી બીજી સખીને પૂછે છે.

પહેલી સખી : શું ચાલે છે ?

બીજી સખીનો ઉપર્યુક્ત સુભાષિત દ્વારા ઉત્તર છે.

બીજી સખી : સીત્કાર કરતાં શિખવાડે છે, હોઠ પર વ્રણ પાડી દે છે, હું તો રોમાંચિત પણ થઈ જાઉં છું.

પહેલી સખી : (સ્વગત) આ ચાંપલી, બકુલાવલિકા, ઉત્કલિકા, તરંગિતા, શેફાલિકા વગેરે બીજી દસને કહેતી ફરશે. લાવ, વિષય જ બદલી નાખું. (મોટેથી) ના, ના, શું તું તો ! અરે હું તો આ શિશિર (મૂળાં હેમન્ત છે !) ના વનોની વાત કરું છું. જો એ ઠંડા પવનો વાય એટલે આપણે સીત્કાર કરતા થઈ જઈએ છીએ, હોઠ ફાટી જાય છે. હું તો થર થર ધ્રુજું છું, ઠંડીથી, રૂંવાડાં ખેડાં થઈ જાય છે.

 

પહેલી સખી : ચલ જૂઠ્ઠી, વાત બદલી કાઢી.

બીજી સખી : ના, ના, એવું નથી. તારે પણ આવું જ છે ને ?

બન્ને સખીઓ એકબીજાને તાળી આપીને છૂટી પડે છે.

 

સંસ્કૃતમાં આવા પ્રકારની કવિતા પણ વિકસી છે અને તેને સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પરિભાષામાં “અપહનુતિ' કહેવામાં આવે છે. અપહનુતિનો અર્થ સંગોપન-છૂપાવવું, નિષેધ કરવો થાય છે. આવાં સુભાષિતો ચમત્કૃતિભર્યા, શ્લેષ પર આધારિત, મનોરંજક હોય છે.

આવું જ સીત્કારને વણી લેતું એક બીજું પણ સુભાષિત જોઈ લઈએ....

 

વધુ વાંચો...

 

 

 

*ફોટો કોપીરાઈટ યથાતથ

લેખકનું સરનામું : વિજય પંડ્યા, ‘ઉપનિષદ’, ૧૧-એ, ન્યુ રંગસાગર સોસાયટી, સરકારી ટ્યુબવેલનો ખાંચો, બોપલ, અમદાવાદ ૩૮૦ ૦૫૮ મોબાઈલ : ૯૮૯૮૦૫૯૪૦૪