યુવા-સ્વર-૦૮

યુવાસ્વર:

આપઓળખની મથામણઃ યુવા સ્વરોનું એક સેલ્ફ ઑડિટ.

 

-પરિકલ્પનાઃ પ્રા. સમીર ભટ્ટ અને પ્રા. સેજલ શાહ.

સવાલો જવાબો: ચાર્વી ભટ્ટ
૧. તમારા મતે, સાહિત્ય સર્જન શા માટે?

૧. સાહિત્ય સર્જન શા માટે? સ્વથી સર્વની ઓળખ માટે.

૨. કવિતા, વાર્તા, નિબંધ, નાટક – એટલે તમારા માટે શું?

૨. કવિતા એટલે જીવનનો લય, વાર્તા એટલે જીવનનો વિનિમય, નિબંધ એટલે મનનાં ઉમળકા સાથે આવતાં તરંગો, નાટક એટલે જગતની દરેક વાતને હસતાં શીખવતુ પ્રતિબિંબ.

૩. આજના આ સમયમાં તમે કેવું સાહિત્ય સર્જવા ચાહો?

૩. લોકોપયોગી.

૪. તમને ગમતા ગુજરાતી સર્જકો કયા? શા માટે?

૪. વિનોદ ભટ્ટ.

૫. તમને ગમતા ભારતીય સર્જકો કયા વિશ્વસાહિત્યની તમને ગમતી રચનાઓ?

૫. રવીન્દ્રનાથ ટાગોર.
ચેખોવની વાર્તા.

૬. જે ભાષામાં તમે સાહિત્ય સર્જન કરો છો, એ ભાષાના પ્રશિષ્ટ સર્જકો, એમની રચનાઓ અને સાહિત્યના ઇતિહાસની કેટલી જાણકારી તમને છે?

૬..સાહિત્યક્ષેત્રે તેમણે કરેલાં પ્રદાનની માહિતી છે.

૭. કવિતા લખતી વખતે કોઈ આદર્શ સામે રાખો છો?

૭. રાજેન્દ્ર શાહ, સિતાંશુ યશશ્ચન્દ્ર.

૮. રચના કર્યા પછી સૌ પ્રથમ કોને તમારી રચના સંભળાવવા ઈચ્છો? શા માટે ?

૮. જેને હું વધારે ગમું છું એવાં દોસ્તને.

૯. સર્જન-પ્રક્રિયાની ચર્ચા કરતાં લખાણો/વક્તવ્યોમાંથી તમને શું શું વાંચવું/સાંભળવું ગમ્યું છે?

૯. તત્કાલીન સાહિત્યમાં બનતી ઘટના

૧૦. તમારી જાતને સજ્જ કરવા શું કરો છો અથવા શું કરવા ધારો છો?

૧૦. વાંચન અને એવું હું પણ કરી શકું એવી સૂઝ સાથે સહદય થવા ઇચ્છુ છું

 

- ચાર્વી ભટ્ટ