ગાથા સતસઈ

ગાથા સતસઈ

– રાજેન્દ્ર નાણાવટી

રોષારુણ ગૌરીમુખ અર્ધ્યકમળશું પ્રતિબિંબાયું જ્યાં

એવી પશુપતિ કેરી સંધ્યાસલિલાંજલિને નમો.   ૧

 

અમૃત-શી પ્રાકૃત કવિતા ભણવી કે સુણવી ય જે ન જાણે

કામતન્ત્રની ચિંતા કરતાં તે ક્યમ ન લજવાતાં?    ૨

 

કોટિ કોટિ સાલંકૃત ગાથાઓ કૈં રચાઈ તે મધ્યે

કવિ-વત્સલ હાલે આ વિરચી સાતસો ગાથાઓ.   ૩

 

વધુ વાંચો....